સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

'મહા' વાવાઝોડાની ચેતવણીના પગલે ર હજાર લિટર પેટ્રોલ-૧ હજાર લિટર ડિઝલનો જથ્થો અનામત રખાશે

જીલ્લા કલેકટર ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્રની બેઠક મળી

વેરાવળ-પ્રભાસ પાટણ, તા.૫: હવામાન વિભાગ દ્રારા મહા વાવાઝોડાની આગાહીના પગલે ઉભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી એલર્ટ થઈ ગયુ છે. જિલ્લા કલેકટરશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં આગમચેતી રાખવા તેમજ જાનહાની કે પશુધનને નુકશાન ન થાય તેની તકેદારી રાખવા તમામ પગલાઓ લેવા તેમણે તાકીદ કરી હતી.

 હવામાન ખાતાની આગાહી મુજબ તા.૬ નવેમ્બરે સવારથી તા.૭ અને ૮ નવેમ્બર દરમીયાન વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લો ૧૦૦ કિ.મી.થી વધુ દરિયાકાંઠો ધરાવે છે. લો-લાઈન વાળા તેમજ દરિયાઈ પટ્ટીના ગામોમાં તલાટીઓને વિશેષ તકેદારી રાખવા સાથે સ્તળાંતર કરવાનુ થાય તો આશ્રયસ્થાનો નક્કી કરી લેવા, સાયકલોન સેન્ટરોનો ઉપયોગ કરવા,ફુટ પેકેટની વ્યવસ્થા માટે એનજીઓ સાથે સંકલન કરવા સુચનાઓ આપી હતી. જિલ્લાના છ તાલુકા માટે નિયુકત લાઈઝન ઓફીસરોને તા.૫ નવેમ્બર રાતથી તાલુકા મથકે ફરજ પર જવા આદેશ કરી જિલ્લા કલેકટરશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ મુશ્કેલી હોય તો તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીનો લોકોને સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું

કોમ્યુનીકેશન સિસ્ટમ કાર્યરત રાખવા,તમામ કચેરીઓનું સંકલન રાખવા સાથે જરૂરીયાત મુજબ તમામ પેટ્રોલ પમ્પોને ૨૦૦૦ લીટર પેટ્રોલ અને ૧૦૦૦ લીટર ડિઝલનો જથ્થો અનામત રાખવા જણાવ્યું હતું. આપત્ત્િ।માં તમામ અધિકારીઓની ડ્યુટી પ્રોફેશનલ નહિ પરંતુ મોરલ ડયુટી બની જાય છે. ત્યારે તંત્રના અધિકારીઓ કર્મચારીઓનો નો રીઝન રીઝલ્ટ માટે કાર્યરત રહેવા જિલ્લા કલેકટર રહેવરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

 માર્ગમકાન વિભાગ રસ્તાઓ કાર્યરત રાખવા,રોડ વાઈઝ જેસીબી અને ડમ્પર મુકશે,PGVCL નગરપાલિકા, પોલીસ, ફિશરીઝ,પોર્ટ ઓફિસ, જિલ્લા પંચાયત વેરાવળ,એસ.ટી.ડેપો વેરાવળ ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ફોરેસ્ટ વિભાગ માર્ગ મકાન વિભાગને સુચારૂ સંકલન કરવા જણાવ્યું હતું. બેઠકમાં અધિક કલેકટર એચ.આર.મોદી,પ્રાંત અધિકારીશ્રી નિતીન સાંગવાન,નવ નિયુકત અધિક કલેકટર પ્રજાપતિ સહિત તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં સહભાગી થયા હતા.

જિલ્લાની ૨૭૮૩ બોટો નજીકનાં વેરાવળ કે નજીકના બંદરો પર પાર્ક કરી દેવામાં આવી છે. તેમજ બાકી બોટો સત્વરે પરત ફરે તેવી કાર્યવાહી સાથે કોસ્ટગાર્ડ અને નેવી પણ માચ્છીમાર બોટો અંગે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું હતું. વાવાઝોડા સંદર્ભે એક પણ ફીશીંગ બોટો દરીયામાં ન જાય અને જાય તો પગલા લેવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

પ્રવાસ મુલતવી રાખવા અનુરોધ

પ્રવાસન ધામ સોમનાથ તથા ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવતા લોકોને જિલ્લા કલેકટરશ્રી'મહા'વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સંદર્ભે તેમનો પ્રવાસ મુલત્વી રાખવા અનુરોધ કર્યો છે. તા. ૬,ઙ્ગ૭ અને ૮ નવેમ્બર સુધી વાવાઝોડા તેમજ ત્યારબાદ ભારેથી અતીભારે વરસાદનાં સંદર્ભે પ્રવાસીઓએ સ્વયંભુ તકેદારી લેવા સાથે હાલ જે લોકો ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસન સ્થળો પર છે તેમણે સલામત રહેઠાણ સ્થળે રહેવા જિલ્લા કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું છે.

૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત

હવામાન વિભાગની 'મહા' વાવાઝોડાની તા. ૬,૭ અને ૮ નવેમ્બરની આગાહી સંદર્ભે ગીર-સોમનાથ જિલ્લામાં વિવિધ કચેરીઓ દ્વારા ૨૪ કલાક કન્ટ્રોલરૂમ કાર્યરત કરાયા છે. જે મુજબ જિલ્લા આપત્ત્િ। વ્યવસ્થાપન મુખ્ય કન્ટ્રોલરૂમ ૦૨૮૭૬-૨૮૫૦૬૩ અને ૬૪ ઉપરાંત ૦૨૮૭૬-૧૦૦૭,ફીશરીઝ વિભાગ વેરાવળ ૨૪૭૨૮૨,પોર્ટ ઓફીસ,વેરાવળ ૨૨૧૧૩૯,પોલીસ વિભાગ વેરાવળ ૨૨૨૧૦૧,પીજીવીસીએલ વેરાવળ ૨૨૦૨૩૭,નગરપાલિકા ફાયર વિભાગ, વેરાવળ ૨૨૦૧૦૧,જિલ્લા પંચાયત,વેરાવળ ૨૪૯૨૨૪, એસ.ટી. ડેપો, વેરાવળ ૨૨૧૬૬૬ છે. જરૂર જણાયે લોકોએ આ કન્ટ્રોલરૂમ પર સંપર્ક સાધવા કલેકટર કચેરી,ઙ્ગદ્વારા જણાવાયું છે.

(1:09 pm IST)