ઉનાના દેલવાડા વાડી વિસ્તારનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ દાગીના સહિત ૭૩ હજારની ચોરી
ઉના તા. પ :.. દેલવાડા ગામે વાડી વિસ્તારમાં બંધ મકાનનાં તાળા તોડી સોના-ચાંદીના દાગીના ત્થા રોકડ રૂપિયા મળી ૭૩પ૦૦ ની ચોરી તસ્કરો કરી ગયેલ છે.
દેલવાડા ગામે જીનવાડી વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ જીવાભાઇ સોલંકી રે. દેલવાડાવાળા મકાનના દરવાજા ને તાળા મારી એક દિવસ માટે બહારગામ ગયા હતાં. સવારે પરત પાછા આવતાં વાડી વિસ્તારનાં મકાનનાં દરવાજાનાં તાળાના નકુચા તુટેલ હોય કોઇ તસ્કરોએ પ્રવેશ કરી કબાટમાં રાખેલ સુટકેક્ષમાં રાખેલ સોનાના દાગીના ચેન, કાનના જુમ્મર, કાનની કડી, નાકના સોનાના દાણા ત્થા ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા ૪૦૦૦ મળી કુલ રૂ. ૭૩પ૦૦ ની ચોરી કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી. ઉના પોલીસ ઘટના સ્થળે દોડી જઇ એફએસએમ ફિગર પ્રિન્ટ નિષ્ણાંતને બોલાવી. ચોરીનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે. તસ્કરોએ નવા વરસમાં દેલવાડામાં ચોરી કરી પોલીસને પડકાર ફેંકર્યો છે.