જુનાગઢ સર્વોદય બ્લડ બેન્કના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂની તબીયત સ્થિર
મહેન્દ્રભાઇ મશરૂના સ્વાસ્થ્યના ઝડપી સુધારા માટે લોકો દ્વારા બાધા-માનતા-આખડી-ટેક રાખવામાં આવી રહી છે
જુનાગઢ તા.પ : છેલ્લા ઘણા દીવસોથી કોઇ અજાણ્યા વાયરસનો ભોગ બનેલા સર્વોદય બ્લડ બેંક (દવાફંડ) ના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂના સ્વાસ્થયનો ઝડપી સુધારા માટે લોકોએ માનતા-બાધા-આખડી ટેક ત્થા સેવા કાર્યની શરૂઆત કરી છે તેમના પુનઃ સુધારા પ્રદ સ્વાસ્થ્ય માટે તાજેતરમાં જલારામ મંદિર- જુનાગઢ ખાતે પ્રાર્થના યોજવામાં આવેલ.
હાલ જુનાગઢના નામાંકિત ડોકટર્સ ડો. પંકજભાઇ ભટ્ટ (એમ.ડી.સર્જન), ડો. એમ.આઇ.વાજા, (એમ.ડી.ફીઝીશન) ડો. કે.બી.પંચાલ (એમ.ડી.ફીઝીશીયન) ડો. ગૌરાંગ બગડા (એમ.ડી.ફીઝીશીયન) ડો. જય રાણીંગા (એમ.ડી.ઓર્થોપેડીક પેથોલોજી) તેમજ ડો. આર.કે. ઠકકર (એમ.ડી.) ડો. એચ. એલ.કણસાગરા (એમ.ડી. પીઝીશન) ડો. દર્શન પી.કકકડ (ઁફીઝીશન) વગેરે મહેન્દ્રભાઇ મશરૂના નિવાસે આવી તેમના સ્વાસ્થ્ય અંગે સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે.
જુનાગઢ, ડોકટર્સ શ્રી ગઢીયા ત્થા શ્રી કાનાબાર પણ જરૂર પડયે પોતાની સેવાઓ આપે છ.ે
જુનાગઢના વિવિધ ક્ષેત્રોના આગેવાનો પણ મહેન્દ્રભાઇ મશરૂની ખબરની પુચ્છા કરવા વખતો વખત મુલાકાત લઇ રહ્યા છે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.