સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ગાંધીધામ અમદાવાદ હાઇવે ઉપર ભચાઉ પાસે ટ્રક પર પથ્થરમારો કરી લૂંટ ચલાવતા વાહનચાલકોમાં ભય

ભુજ,તા.૫: વાહનવ્યવહારથી સતત ધમધમતા એવા ગાંધીધામ અમદાવાદ હાઇવે ઉપર બનેલા લૂંટના બનાવે ચકચાર સાથે વાહનચાલકોમાં ભય સજર્યો છે. હાઇવે ઉપર ભચાઉ સામખિયાળી વચ્ચે નાની ચીરઇ પાસે ટ્રક ઉપર પથ્થરમારો કરાતાં ટ્રક ચાલક ટ્રકમાં થતાં અવાજને કારણે નીચે પોતાનું વાહન થોભાવીને ઉતરીને અવાજની તપાસ કરી રહ્યો હતો. તે દરમ્યાન ચારેક અજાણ્યા શખ્સો છરીની અણીએ મોબાઈલ, રોકડ સહિત કુલ ૧૪,૫૦૦ ની લૂંટ ચલાવી ને નાસી છૂટ્યા હતા.  આ અંગે લૂંટાઈ ગયેલા ટ્રક ચાલક અશોક લાખિયા માતંગ (માંડવી)એ પોલીસ ફરિયાદ લખાવી હતી, તે મુન્દ્રા થી ખાતર ભરીને સિદ્ઘપુર જઈ રહ્યો હતો, ત્યારે લૂંટનો આ બનાવ બનતાં તેણે ભચાઉ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

(11:14 am IST)