સમસ્ત બ્રહ્મસમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરાયું.
મોરબી : આજે વિજયાદશમીના પાવન અવસરે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શહેરના ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું
ગાયત્રી મંદિર ખાતે અમિતભાઈ પંડ્યાના આચાર્ય પદે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું જેમાં બ્રહ્મ સમાજ અગ્રણી પ્રશાંતભાઈ મેહતા, એન એન ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, નિમેષભાઈ અંતાણી, જગદીશ ઓઝા, અંબરિશભાઈ જોષી, ભૂપતભાઇ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ, જયદિપભાઈ ઠાકર, ડો. ઉત્સવ દવે, યોગેશભાઈ જોષી, મનીષભાઈ જોષી, પ્રણવભાઈ ત્રિવેદી, મહિધરભાઈ દવે, રીપુંજભાઈ પંડ્યા, સુરેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ પંડ્યા, અનિલભાઈ વ્યાસ, કિરીટભાઈ ત્રિવેદી, કુશભાઈ અંતાણી, મયુરભાઈ શુક્લ, આર્યન ત્રિવેદી, શિવ જાની, હર્ષ જાની, ઉદય જોષી, હેતલબેન વ્યાસ, રુચિતાબેન પંડ્યા, નિમિષાબેન જોષી, દક્ષાબેન ભટ્ટ તથા મહિલા મંડળના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા
ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી તેમજ પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, કમલભાઈ દવે તથા બંને પ્રકલ્પની સમગ્ર ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.