સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

હર્ષદ રીબડીયા કાલે સી.આર. પાટીલના હસ્તે કેસરીયા કરશે

જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જીલ્લામાંથી વધુને વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં જોડવા કવાયત
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૫ : ગઈકાલે દશેરાની પૂર્વ સંધ્યાએ  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યના નિવાસસ્થાને રૂબરૂ જઈ વિસાવદર-ભેસાણ મતક્ષેત્રના ધારાસભ્ય તરીકે રાજીનામુ ધરી દેનાર હર્ષદભાઈ રિબડીયા તથા આ વિસ્તારના આગેવાનો-કાર્યકરો આવતીકાલે તા.૬ ગુરૂવારના રોજ કમલમ્ ખાતે કેસરિયા કરશે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો  ખેસ પહેરશે તેવું  અત્યંત વિશ્વાસપાત્ર વર્તુળોમાથી જાણવા મળે છે.
હર્ષદભાઈ રિબડીયા સતત વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર તથા જૂનાગઢ જિલ્લાના આગેવાનો-કાર્યકરોના સંપર્કમા છે અને આજે સાંજ સુધીમા અમદાવાદ-ગાંધીનગર પહોંચી જવાનુ કહેણ મોકલાઈ રહ્યાનુ બહાર આવ્યુ છે.
હર્ષદભાઈ રિબડીયાને જૂનાગઢ-ગીર સોમનાથ-અમરેલી જિલ્લાના વધુમા વધુ આગેવાનો-કાર્યકરોને ભાજપમા જોડવાનુ કહેવાયાનુ પણ છડેચોક બોલાઇ રહ્યુ છે ત્યારે કાલે કોણ કોણ કેસરિયા કરે છે..? એ તરફ સૌની મીટ મંડાઈ છે.

 

(4:46 pm IST)