સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th October 2022

જુનાગઢ ભારતી આશ્રમે ગરબી મંડળની બાળાઓને ભોજન અને લ્હાણી

જુનાગઢ : ભવનાથ તળેટી સ્થિત  ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત પુ. ભારતીબાપુના આશિર્વાદથી અને પુ. હરીહરાનંદ ભારતીજીબાપુની પ્રેરણાથી પુ. મહાદેવ ભારતીબાપુ દ્વારા ભવનાથ વિસ્તારમાં આવેલ પ્રાચીન ગરબી મંડળની ર૧૧ બાળાઅોને ભોજન કરાવ્યું હતુ. તેમજ લહાણી વિતરણ કરાયુ હતુ. આ તકે ડેપ્યુટીમેયર ગીરીશભાઇ કોટેચા તથા ટ્રસ્ટી મનોજભાઇ જાબનપુત્રા પણ પણ ઉપસ્થિત રહયા હતા. ઉપરોકત તસ્વીરમાં પુ.ભારતીબાપુની સમાધી સ્થળે ગિરીશભાઇનું સન્માન કરતા મહાદેવ ભારતીબાપુ તેમજ ગરબી મંડળની બાળાઅોને લ્હાણી વિતરણ કરતા નજરે પડે છે. (અહેવાલ ઃ વિનુ જાશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:45 pm IST)