News of Wednesday, 5th October 2022
કાલાવડમાં તળાવના પાણીમાં ડુબી જતા ૨ યુવતિના મોત
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: કાલાવડ ગામે જામનગર રોડ પર હિરાપરા સ્કુલ સામે રહેતા નીરૂબેન દેવજીભાઈ ચતુરભાઈ દેલવાણીયા, ઉ.વ.૩૦ એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪-૧૦-ર૦રરના આ કામે મરણજનાર કુંજલબેન દેવજીભાઈ ચતુરભાઈ દેલવાણીયા, ઉ.વ.૧૧, અંજલીબેન દેવજીભાઈ ચતુરભાઈ દેલવાણીયા, ઉ.વ.૯ બંન્ને અકસ્માતે તળાવના પાણીમાં પડી જતા પાણીમાં ડુબી જતા સારવારમાં લાવતા મરણ થયેલ છે.
(11:36 am IST)