News of Wednesday, 5th October 2022
હળવદમાં નોરતામાં નવ દિવસ માત્ર પાણીના સહારે ૪૦ વર્ષથી ઉપવાસ કરી માતાજીની આરાધના કરતા કાંતિભાઇ ચાવડા
(હરીશ રબારી દ્વારા) હળવદ,તા. ૫ : માતાજીની આરાધના માઈ ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે અનેક રીતે અને પ્રકારે કરતા હોય છે. પરંતુ વિશેષ પ્રકારે ઉપવાસ કરીને માતાજીની આરાધના કરતા હળવદના જાનીફળી વિસ્તારમાં રહેતા ચામુંડા માતાજીના ઉપાસક કાંતિભાઈ ચાવડા નવલા નોરતામા ઉપવાસ કરે છે જે માત્ર પાણી પીને ઉપવાસ કરે છે કોઈપણ જાતનું ભોજન કર્યા વગર માત્ર પાણીના સહારે નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. તેઓ શ્રદ્ધાઆસ્થા સાથે છેલ્લા ૪૦ વર્ષથી આ રીતે નવરાત્રી પર્વ દરમિયાન ઉપવાસ કરી માતાજીની અનેરી પૂજા આરાધના કરી રહ્યા છે.
(10:57 am IST)