જેતપૂર ચેમ્બર્સ ઓફ કોમર્સની સાધારણ સભા યોજાઇ
જેતપૂરઃ શહેરના વેપારી મહાજનોની સંસ્થા ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષીક સાધારણ સભા રોટરી હોલ ખાતે યોજાઇ હતી. જેમાં મંત્રી જયેશભાઇ રાદડીયા , સાંસદ રમેશભાઇ ધડુક, ડાંઇગ એસો. ના રાજુલા રાજુભાઇ પટેલ , જયંતિભાઇ રામોલીયા , વસંતભાઇ પટેલ(જીમખાના પ્રમુખ) વિરજીભાઇ વેકરીયા, પ્રશાંતભાઇ કોરાટ, લલીતભાઇ જોષી (નાગરીક બેંક) દિનેશભાઇ ભુવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. મીટીંગમાં કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ સાંસદ રમેશભાઇ ધડુકે પ્રાસંગીક ઉદબોધન કરતા વેપારીઓના પ્રશ્ને રહંમેશ તત્પર રહેવા જણાવેલ. ચેમ્બર્સ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ વર્ષ દરમ્યા ન કરેલ ગતીવિધીએ જણાવેલ કે એના માટે લોનનુ માર્ગદર્શન રાજકોટ નાગરીક બેંકના ડે. ચીફ મેનેજર લલીતભાઇ જોષીએ આપેલ. વેપારીઓને કઇ લોન લેવી જોઇએ. જેનુ વ્યાજ સાવ ઓછુ હોય અને સરળ હોય તેઓને માહિતગાર કરેલ અહીના સેક્રેટરી હરેશભાઇ ગઢીયાએ આભાર વિધી કરેલ.