તળાજાના રોયલ ગામે યુવાનનું અપહરણ કરી પરિવારના ચાર સભ્યોને મૂંઢમાર માર્યો
યુવતી સાથેના સબંધ કારણભૂતઃ ચારેયને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ભાવનગર તા.૫:તળાજા ના રોયલ ગામના યુવાનનું આજે ફોરવહીલ માં આવેલ પાંચ વ્યકિત ઓએ અપહરણ કરી યુવાનના દ્યરપાસે લઈ જઈ યુવાન અને તેના પરિવાર જનોને મૂંઢમાર મર્યાની ઘટના બનવા પામી હતી. ચારેયને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ.જયાં પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથધરવામાં આવિહતી.
તળાજાના રોયલ ગામે રહેતા રાજુ ભયાભાઈ ગુજરીયા ઉવ ૨૦, અસ્મિતાબેન ભાયાભાઈ ગુજરીયા ઉવ ૧૭, ભાયાભાઈ પુનાભાઈ ગુજરીયા ઉવ ૪૫, મધુબેન ભાયાભાઈ ગુજરીયા ઉવ ૪૦ ને મૂંઢ ઈજાઓ સાથે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત રાજુ ગુજરીયા એ જણાવ્યું હતુકે પોતે ગામમાં ગણપતિ દાદા ના મંડપ માં હતા ત્યારે ફોર વહીલ ૦૯૯૩માં પાંચ વ્યકિત આવેલ.તેઓએ બળજબરી પૂર્વક કારમાં બેસાડી માર મરેલ.પોતે જયાં રેહછે ત્યાં લઈને માર મારતા હતા .તેને લઈ પરિવારના સભ્યો વચ્ચે પડતા તેમને પણ મૂઢ ઈજાઓ કરેલ.ત્યાંથી ફરીને કારમાં બેસાડી રોયલ ચોકડી પર લાવી ઉતારી દીધેલ.
માર મારનાર એક વ્યકિત ગામનાજ ,બીજા તણસાના ને ઓળખેછે.એક વ્યકિત પોતાને પોલીસ તરીકે ઓળખ આપતો હતો.આ બનાવ નું કારણ યુવતી સાથેનો સબંધ હોવાનંુ જણાવ્યું હતું. બનાવ સબધે તળાજાના એક વકીલ સહિત કેટલાક લોકો દોડી આવ્યા હતા.ને કાયદેસરની ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.
ફરજ પરના તબીબે બનાવનું અને ઈજાઓ પહોંચાડનારની વિગતો કેસ પેપરમાં ટાંકી કાયદેસરની કાર્યવાહી કરી હતી.