વીરપુરમાં અન્નોત્સવ
વીરપુર-જલારામ : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને વિનામુલ્યે રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા તેમજ જેતપુર તાલુકા વિકાસ અધિકારી નિશાંત કુગસિયાની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓએ તથા અગ્રણીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધન નિહાળ્યું હતું,આ કાર્યક્રમમાં રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા,જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઇ વદ્યાસીયા,સંજયભાઈ વઘાસીયા,જેતપુર તલાટી મંત્રી જનકભાઈ સાબળ અને દર્શકભાઈ હરિયાણી ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ગઢિયાએ કર્યું હતું જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા પંડિત દીનદયાળ સસ્તા અનાજના દુકાન ના સહાયક સુનિલભાઈ વદ્યાસીયા તેમજ ગૌરવભાઈ ગાજીપરાએ જહેમત ઉઠાવી હતી. અન્નોત્સવ યોજાયો તસ્વીર.(તસ્વીર : કિશન મોરબીયા, વીરપુર)