સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

જામનગરમાં 1971ના યુદ્ધ ના વિજયની 50 વર્ષની ઉજવણી: બલિદાનનું પ્રતીક સમી વિજય જ્યોત સાથે જામનગર પહોંચી : લાખોટા તળાવ ખાતે યુદ્ધ માં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ: ભારત માતા કી જય ના નારા લાગ્યા

જામનગરમાં 1971ના યુદ્ધ ના વિજયની 50 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જાટ રેજીમેન્ટ ખાસ આ પ્રસંગે બલિદાનનું પ્રતીક સમી વિજય જ્યોત સાથે જામનગર આવી પહોંચી હતી. અને લાખોટા તળાવ ખાતે યુદ્ધ માં શહીદ થયેલા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર આર્મી સ્ટેશનથી લાખોટા તળાવ ખાતે વિજય મશાલ લઈ આવવામાં આવી હતી.જ્યાં આર્મીના સૈન્ય જવાનોએ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવ્યો હતો. અને લાખોટા તળાવની પાળે ભારત માતા કી જય ના નારા લાગ્યા હતા. ( તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(1:05 am IST)