સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th August 2020

ભાવનગરમા વધુ ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: ૪૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા ૧,૬૬૮ કેસો પૈકી ૪૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૬૬૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના અમૃતવેલ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૬, પાલીતાણા તાલુકાના હડમિયા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૭, તળાજા તાલુકાના ચુડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના જસપરા ગામ ખાતે ૧ તથા તળાજા તાલુકાના ઘટવાડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

        આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૨૩ એમ કુલ ૪૭ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૧,૬૬૮ કેસ પૈકી હાલ ૪૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૧૯૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(7:50 pm IST)