News of Sunday, 5th July 2020
કચ્છમાં થોડી રાહત : આજે એક જ કેસ : કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને ૧૮૫ થઇ :
અંજારના વરસામેડીનો ૩૧ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો
ભુજ: કચ્છમાં સતત ૧૩ મે દિ' એ પણ કોરોનાના કેસ નીકળવાનું ચાલુ રહ્યું છે. જોકે, આજે રાહત એ છે કે, એક માત્ર કેસ જ નોંધાયો છે. અંજારના વરસામેડીનો ૩૧ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તે સાથે જ કુલ કેસ વધીને ૧૮૫ થયા છે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ૬૧ દર્દીઓ છે. જ્યારે સાજા થનાર ૧૧૫ છે. તો, ૯ ના મોત નિપજ્યા છે.
(8:40 pm IST)