વિસાવદરના જાબુંડા ગામે ત્રણ મંદિરમાં તસ્કરોનો તરખાટ : રૂ. ૩૩ હજારની મતાની ચોરી
જુનાગઢમાં પાન-બીડીની દુકાનમાં ખાબકયા
જુનાગઢ, તા. પ : વિસાવદર તાલુકાના જાંબુડા ગામે રહેતા પટેલ લવજીભાઇ બાવાભાઇ ગજેરાના મકાનના ફળીયામાં આવેલ પરિવારના માતાજીના મંદિરે ઉપરાંત ગામના અન્ય બે મંદિર (મઢી)ના દરવાજાના તાળા તોડી સ્કરોએ હાથફેરો કર્યો હતો.
જેમાં તસ્કરો ત્રણેય મંદિરમાંથી ચાંદીના નાના-મોટા ર૦ છતર, તેમજ દાનપેટીમાંથી રૂ. રપ,૪૦૦ની રોકડ મળી કુલ રૂ.૩૩,૪૦૦ની કિંમતનો મુદામાલ ચોરીને તસ્કરો નાસી ગયા હતાં.
આ અંગે લવજીભાઇ ગજેરાની ફરીયાદ લઇ વિસાવદરના પીએસઆઇ એચ.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે.
આજ પ્રમાણે જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ રામભાઇ દોલતભાઇ ભાડકાની પાન-બીડીની બંધ દુકાનનું શટર રાત્રીના સમયે તસ્કરોએ એક બાજુથી ઉંચુ કરી દુકાનના થડામાંથી રોકડ મળી કુલ રૂ. ૯ હજારની ચોરી કરી ગયા હતાં.
આ અંગે એ-ડીવીઝનના પી.એસ.આઇ. પી.જે. રામાણીએ આગળની તપાસ હાથ ધરી છે.