News of Thursday, 5th July 2018
૧૮મીએ જામનગરમાંથી ૫૮ વ્હોરા બિરાદરો હજ યાત્રાએ જશે
જામનગર તા.૫ : જામનગરમાં તા. ૧૮ના ૫૮ દાઉદી વ્હોરા સમાજના ભાઇ બહેનો સાઉદી અરેબિયા દેશમાં હજયાત્રાએ જશે.
ઇસ્લામ ધર્મમાં હજયાત્રા ફરજીયાત છે. પણ આ માટે એવા પણ કઠીન નિયમ છે કુ પ્રથમ પોતાનો પાડોશી જરૂરિયાતમંદ અને ગરીબ ન હોવો જોઇએ. આવા અનેક નિયમો પાળ્યા પછી જ હજયાત્રાએ જઇ શકાય ત્યારે જામનગરમાં જૂદા જૂદા વિસ્તારમાં રહેતા ૨૭ પુરૂષો અને ૩૧ મહિલાઓ સહિત ૫૮ વ્હોરા બિરાદરો ૪૨ દિવસની હજયાત્રાએ જશે.
નામદાર ડો.સૈયદના સાહેબના પ્રતિનિધિ આમીલ અબીતમીમભાઇ, શેખ જોહરભાઇ, લુવૈઇભાઇની આગેવાની હેઠળ આગામી હજયાત્રાએ જનારાઓને તેમના સગા સબંધી શુભેચ્છકો મિત્રોએ આ યાત્રાની મુબારકબાદી પાઠવી હતી.
(1:01 pm IST)