તળાજાના કુંઠડા ગામે પવન ચક્કીમાંથી કેબલ વાયરોની ચોરી
તળાજા યુવાનને માર મારતા ભાવનગર ખસેડાયો
ભાવનગર તા. ૫ : તળાજા શહેરના એક યુવાન પર હુમલો કરવામાં આવતા માથામાં ઈજાઓ હોઇ ભાવનગર ખસેડવામાં આવેલ.જ્યારે કુંઠડા ગામની સીમમા આવેલ પવનચક્કી માંથી કેબલ વાયરની ચોરાતી ફરિયાદ નોંધાયેલ છે.
તળાજા પોલીસના જણાવ્યા પ્રમાણે સુજલોન કંપની ની પવન ચક્કીઓ કુંઠડા ગામની સીમમા આવેલી હોય ત્યા સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લક્ષ્મણ રામભાઇ આહિર (રે.જસદણ) વાળાએ નોંધાવેલ ફરીયાદ મુજબ ૪/૬ રાત્રીના ૩:૩૦ વાગ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા પવનચક્કીના અલગ - અલગ કેબલ વાયરો કિ. રૂ. ૪૫૦૦૦/- ની કિમતના ચોરી કરી લઇ ગયેલ છે.
મારામારી ની મળતી વિગતોમાં શહેરમાં રહેતા સંજય વિજયભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩) પર હુમલો કરતા તેઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા઼ આવેલ. માથામાં ઈજા હોય ભાવનગર રીફર કરેલ. પોલીસ મથકે મારામારી અંગેની જાણ થતા તળાજા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.