સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th June 2021

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી : આજે ૦૫ જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ  પ્રસંગે કલેકટર જે બી પટેલ. ડીડીઓ પરાગ ભગદેવ, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ, ડેપ્યુટી કલેકટર, ડીસીએફ, ડીવાયએસપી, ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ, ૧૮૧ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોરોના મહામારીમાં સારું કામ કરનાર ૧૦૮ અને ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કર્મચારીઓ તેમજ જીલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના કોરોના વોરીયાર્સના હસ્તે વૃક્ષારોપણ કરાવીને પ્રોત્સાહન આપ્યું હતું અને કોરોના મહામારી દરમીયાન કરેલી સુંદર કામગીરીને બિરદાવી હતી

(7:41 pm IST)