સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th June 2019

રાજુલામાં એસટી બસમાં ચડવા જતા આગળના વ્હીલમાં આવી જતા આદિત્ય ભટ્ટનું કરૂણમોત

ભાવનગર હોસ્પિટલમાં મોત થતા બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઇ

  રાજુલા :શહેરમાં પોૅલીસ સ્ટેશન પાસે એસટી માં ચડવા જતા આગળના ટાયર સાથે અથડાતા બ્રહ્મ સમાજનાં યુવાનનું ગંભીર ઇજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયેલ જ્યાં તેમનું મોત થયું હતું.

   આ અંગેની વિગત મુજબ રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન પાસે એસ.ટી. બસ માં ચડવા જાતાં આગળના ટાયર સાથે અથડાતા આદિત્ય ઇન્દુકુમાર ભટ્ટ (ઉ.વ.૨૦)ને ગંભીર ઇજા થતા સારવાર માટે મહુવા હોસ્પીટલમાં મોકલવામાં આવેલ ત્યાં ડોકટરો હાજર ન હોવાથી સારવાર ન મળતા ભાવનગર લઇ જવામાં આવેલ પણ ભાવનગર ન પહોંચી શક્તા રસ્તામાં મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતાં બ્રહ્મસમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.

(9:07 pm IST)