સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

જુનાગઢ જેલના કાચા કામના કેદી ગિરીશ વણપરીયાનું મોત

છાતીમાં દુઃખાવો ઉપડતા થયુ મૃત્યુ

(વિનુ જોશી) જુનાગઢ તા.૫: જુનાગઢ જેલના કાચા કામના કેદી ગિરીશ વણપરીયાનું છાતીમાં દુઃખાવાને મોત થયાનું જાણવા મળેલ છે.

કેશોદની હત્યાના ગુનામાં ગિરીશ ગોવિંદભાઇ વણપરીયા નામનો શખ્સ જુનાગઢ જિલ્લા જેલમાં કાચા કેદી તરીકે કારાવાસ ભોગવતો હતો.

ગઇકાલે ગિરીસ ગોવિંદને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને તાત્કાલિક સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા હાર્ટ એટેક જીવલેણ નીવડતા તેનું મૃત્યુ થયુ હતુ વધુ તપાસ એ ડીવીઝીન પોલીસ ચલાવી રહી છે.(૩.૯)

(3:53 pm IST)