સુરેન્દ્રનગર ડીવાયએસપી એ.બી.વાટલિયાને વિદાયમાન
વઢવાણ, તા.૫: સુરેન્દ્રનગર જિલ્લામા સંુરેન્દ્રનગર ડિવિઝન ના ડિવાયએસપી તરીકે ફરજ બજાવતા ડીવાયએસપી એ.બી.વાટલિયા,ર્ં વય નિવૃત્ત્િ।ના કારણે પોલીસ ખાતામાંથી નિવૃત થતા, સુંરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણીની અધ્યક્ષતામાં તેઓનો વિદાય સમારંર્ભં યોજી, તેઓને ઉષ્માભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણી દ્વારા DySP એ.બી.વાટલિયાના કાર્યાકાળ દરમિયાન કરેલા સારા કામોને બિરદાવી, તેઓ કયારેય નિવૃત થાય નહીં તેવું સક્રિય વ્યકિતત્વ હોવાનું જણાવી, ભાવભીનું વિદાયમાન આપી, શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિદાય સમાંરંભમાં હાજર એવા DySP પ્રદીપસિંહ જાડેજા, બી.એસ.વસાવા, એમ.આર.શર્મા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા પણ શ્રી એ.બી.વાટલિયાને શુભેચ્છા સાથે ઉષ્મા ભરી વિદાય આપેલ હતી. તેઓની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારના પો.સ.ઇ. એ.વી.પટેલ, એચ.વાય. અબ્બાસી, હે.કો. દ્યનશ્યામભાઈ, હે.કો. ઘનશ્યામસિંહ તેમજ હે.કો. અરવિંદભાઈ પણ વય નિવૃત્ત્। થતા હોય, તેઓનો પણ વિદાય સમારંભ સાથો સાથ ગોઠવવામાં આવેલ હતો. આમ, એક સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં થી નિવૃત્ત્। થતાં, છ પોલીસ અધિકારીઓ/જવાનો નો નિવૃત્ત્િ। વિદાય સમારંર્ભં યોજાયો હતો. સંચાલન મહેન્દ્રભાઇ કલોતરાએ કર્યુ હતુ.(તસ્વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)