સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

વાછરામાં ખુરશીમાંથી પડી જતાં ૮૫ વર્ષના અરજણભાઇનું મોત

વણકર વૃધ્ધે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૫: ગોંડલના વાછરા ગામે રહેતાં અરજણભાઇ રૂડાભાઇ સોલંકી (ઉ.૮૫) નામના વણકર વૃધ્ધ ઘરે ખુરશીમાં બેઠા-બેઠા પડી જતાં માથામાં ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અરજણભાઇને સંતાનમાં આઠ પુત્ર અને એક પુત્રી છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:33 am IST)