સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

મથાવડા દુષ્કર્મ પ્રકરણના મદદકર્તા આરોપી શિક્ષક નહીં ઝડપાય તો જેલભરો આંદોલન

તળાજા મામલતદારને આવેદન આપવાના સમયે આગેવાનોએ મૌખીકમાં ઠાલવ્યો રોષ

ભાવનગર તા. પ :.. મથાવડા ગામની સરકારી પ્રા. શાળાના શિક્ષક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મના મામલે મદદકર્તા આરોપી શિક્ષક પચ્ચીસ દિવસ થયે ફરીયાદ થયાને ન ઝડપાતા રેલી યોજી મામલતદારને આપવામાં આવેલ આવેદન પત્ર સમયે ઘટતુ કરવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

મથાવડાના સરપંચની આગેવાનીમાં નિકળેલ રેલી મામલતદાર કચેરીએ પહોંચી ઇન્ચાર્જ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પોલીસ પ્રસાશન દ્વારા ચાર દિવસ પહેલા યોજાયેલ રેલીમાંથી બોધપાઠ લઇ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. રેલીમાં સંખ્યા ઓછી અને શાંતીપૂર્વક આવેદન પત્ર આપવામાં આવતા પોલીસે પણ હોંશકારો અનુભવ્યો હતો.

(11:31 am IST)