સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

કચ્છમાં પતિ સાથે પૈસાની લેતીદેતીમાં પત્નિની હત્યા કરનાર સમાજના આગેવાને આત્મહત્યા કરી

આરોપીને પોલીસ કાર્યવાહીથી બદનામીની બીક લાગતાં ટ્રેન નીચે પડતું મૂકયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ૨૬ વર્ષીય મુસ્લિમ પરિણીતા શબાના મીઠુભાઈ ખલીફાની લાશ છરીના ૨૦ થી ૨૫ ઘા સાથે મળી આવી હતી. આ હત્યાની પોલીસ તપાસ દરમ્યાન મૃતક શબાબાનો પતિ મીઠુ જયાં કામ કરતો તે નુરમામદ મુસા ખલીફા તરફ શંકાની સોઈ ચિંધાઈ હતી. જોકે, પોલીસ તપાસ દરમ્યાન આરોપી નુરમામદે આડેસર પાસે જ માલગાડી હેઠળ પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આરોપીને અને જેની હત્યા કરી તે શબાનાના પતિને પોતાની પાસે નોકરી કરતી વખતે ૨૫ હજાર રૂપિયા આપ્યા હતા. જોકે, તે રૂપિયા ટુકડે ટુકડે પરત કરી મૃતકના પતિએ નોકરી છોડી દીધી હતી. આ બાબતે આરોપી નુરમામદ ગુસ્સામાં હતો અને મીઠુને સજા આપવા તેની પત્નીની હત્યા કરી નાખી. જોકે, રાપર ભચાઉ ખલીફા સમાજના ઉપપ્રમુખ એવા નુરમામદે હત્યા બાદ પોતાની નલેશીની બીકે જીવ દઈ દીધો હતો. આ કિસ્સાની કરુણતા એ છે કે, મૃતક શબાના મોતથી બે બાળકો નોધારા બન્યા છે. જયારે આરોપી નુરમામદ નિસંતાન હતો.

(11:14 am IST)