સવારથી જ ધોમધખતો તાપ
મહતમ તાપમાનનો પારો ઉંચકાતા ઉનાળાનો માહોલ બરાબરનો જામ્યો
રાજકોટ તા. પઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે સવારથી જ ધોમધખતા તાપનો અનુભવ થઇ રહ્યો છ.ે
મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઉનાળો બરાબરનો જામ્યો છ.ે
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પણ ઠંડક ગાયબ થઇ ગઇ છે. અને હવે ઉનાળો બરાબરનો જામે તેવુ વાતાવરણ છવાયું છ.ે
હવે ગરમીમાં પણ વધારો થતા આગામી દિવસોમાં સિઝનનું હાઇએસ્ટ તાપમાન એટલે કે મહત્તમ પારો ૩૦ ડિગ્રી સેલ્સિીયસ સુધી પહોંચે તેવી શકયતા છે.
પવનની દિશા ઉત્તર પヘમિી રહેશે તેમજ પવનની ગતિ ૧ર કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેશે. આ સિવાયના દિવસોમાં પારો ૩૬ ડિગ્રીની આસપાસ રહેશે.તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ત્રણ-ચાર દિવસ પછી ઝાકળવર્ષા પણ થઇ શકે છે.
ગઇકાલે અમદાવાદમા ૩૬.પ ડિગ્રી, ડીસા ૩૮.ર વડોદરા ૩૭, સુરત ૩૬.ર રાજકોટ ૩૭.૩, કેશોદ ૩૮.ર ભાવનગર ૩૪.૬, પોરબંદર ૩૭.૪ વેરાવળ ૩પ.ર, દ્વારકા ર૮.પ, ઓખા ર૯.૪, ભુજ ૩૮.૭, નલીયા ૩૪.પ, સુરેન્દ્રનગર ૩૮, ન્યુકંડલા ૩૪.૭ કંડલા એરપોર્ટ ૩૭.ર, અમરેલી ૩૮.ર, ગાંધીનગર ૩૬.૮, મહુવા ૩૮.૪, દિવ ૩૬.ર, વલસાડ ૩૪.પ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩પ.૩ ડિગ્રી મહતમ તાપમાન ગઇકાલે નોંધાયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી, લઘુતમ ૧૯ ડિગ્રી, ભેજ ૯૮ કા અને પવનની ઝડપ ૮.૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.