News of Friday, 5th March 2021
કેશોદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાવલિયા અને મહામંત્રી બામરોલીયાનું કોંગ્રેસમાંથી રાજીનામું
(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૫: કેશોદ શહેર કોંગ્રેસના મહામંત્રી રજનીભાઈ બામરોલીયાᅠ તથા શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા એ કોંગ્રેસ માંથી રાજીનામુ ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ભુકંપ સર્જાયોછે.
કેશોદ નગરપાલિકા પરિણામ જાહેર થતાં આવેલા પરિણામને લઈ કેશોદ કોંગ્રેસના બેᅠ નેતાઓ પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા તથા શહેર કોંગ્રેસ મહામંત્રી રજનીભાઈ બામરોલીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા જુનાગઢ જીલ્લા કોંગ્રેસ તથા કેશોદ શહેર કોંગ્રેસમાં ભુકંપ આવ્યો છે. કોંગ્રેસના આ બંને નેતાઓએ પોતાના હોદા ઉપરાંત કોંગ્રેસનાᅠ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવા સાથે વળાંક આવેલ છે.
(11:36 am IST)