સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

ભાવનગરમા ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૨૧૩ કેસો પૈકી ૩૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૧૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

   જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૦ કેસ કુલ ૧૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
  આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૧૩ કેસ પૈકી હાલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:19 pm IST)