સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th February 2023

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં યુવકને છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં યુવકને છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ

ગાંધીધામ : શહેરના કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીક છરીના ઘા ઝીકીની યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ હતી. નીરૂબેન લક્ષ્મણભાઈ બારોટે પોલીસમાં જણાવ્યું કે, તેઓ ઘરે હતા ત્યારે ખબર પડી કે તેમના દિકરા નરેશ ઉર્ફે ચીપલીને કોઈએ છરી મારી છે. જેથી તેઓ તપાસ કરવા ગયા ત્યારે અડધા કલાક પછી રીક્ષામાં તેમનો દિકરો નરેશ અને તેમના વિસ્તારમાં દુકાન ચલાવતા કોકીલાબેન પ્રવીણભાઈ સોમેશ્વરા આવ્યા હતા. નરેશે જણાવ્યું કે, તે કોકીલાબેનની દુકાને ગયો ત્યારે કાર્ગોમાં રહેતો રોહિત મારાજ દુકાનની આગળ ગાળો બોલતો હોઈ કોકીલાબેને નરેશને કહ્યું કે રોહિતને તેના ઘરે મુકી આવ. જયારે રોહિતને ઘરે મુકીને તે બહાર આવ્યો ત્યારે રોહિત મારાજે પાછળથી એકાએક દોડી આવીને ડાબા પડખામાં મારી નાખવાના ઈરાદે છરીનો જીવલેણ ઘા માર્યો હતો. કોકીલાબેનને ગાળો આપતો હતો ત્યારે વચમાં કેમ પડયો ? તેમ કહીને હુમલો કરાયો હતો. હોસ્પિટલમાં લઈ જતા નરેશને છરીનો ઉંડો ઘા વાગ્યો હોવાથી પેટના આંતરડામાં કાણા પડી ગયા હતા. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ રોહિત મારાજ સામે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

(11:07 pm IST)