વેરાવળના કાજલીમાં વૃક્ષ પરથી પડી જતા દાનાભાઇ પરમારનું મોત : ૩ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
વેરાવળ-પ્રભાસપાટણ, તા. પ : વેરાવળ તાલુકાના કાજલી ગામના રહીશ અને મજુરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા દાનાભાઇ પાલાભાઇ પરમાર સવારના પોતાના ઘરે થી કુહાડી લઇ અને કાલી ગામે આવેલ માર્કેટ યાર્ડ પાછળ બળતણના લાકડા કાપવા ગયેલ અને અચાનક ઝાડ પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને વેરાવળ ખાતે હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જયાં રસ્તામાં તેમનું મૃત્યુ થયેલ છે. તેઓને પી.એમ. માટે લઇ ગયેલ. આ બાબતની જાણ દલિત આગેવાનોને થતા વણકર સમાજના પટેલ પરશોતમભાઇ પટેલ, સમાજના મંત્રી રામાભાઇ પરમાર, ગોવિંદભાઇ ચાવડા, બહુજન સમાજના જીલ્લા પ્રમુખ હમીરભાઇ આમહેડા, પરબતભાઇ, પ્રવિણભાઇ આહેડા, પરબતભાઇ ભજગોતર, પ્રવિણભાઇ આમહેડા, પરબતભાઇ ભજગોતર અને કાજલી ગામના યુવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલા હતા. દાનાભાઇના પરિવારમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેઓએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે. (૮.૪)