સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th January 2022

પોરબંદરની ઠકકર પ્લોટ બેન્ક શાખામાં પૈસાની લેવડદેવડ માટે એક બારીઃ ખાતેદારો હેરાન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.પ :  ઠકકર પ્લોટ એસબીઆઇ શાખામાં પૈસાની લેવડ દેવડ માટે એક બારી હોય દિવસ દરમિયાન ખાતેદારોની લાઇન લાગે છે. કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે. જેમાં સીનીયર સીટીઝનો હેરાન થઇજાય છે.ઠકકર પ્લોટ એસબીઆઇ શાખામાં પૈસા ઉપાડવા અને જમા કરાવવા એક બારીને કારણે ખાતેદારોને લાંબા સમય લાઇનમાં ઉભુ રહેવું પડે છે. કેટલાંક ખાતેદારો તો પરત ચાલ્યા જાય છે. બેન્ક મેનેજરને રજુઆતો કરતા બેન્ક શાખામાં પુરતો સ્ટાફ નથી. તેવા જવાબો આપે છે. બેન્ક ગ્રાહકોની હેરાનગતિ દુર કરવા બેન્ક શાખામાં પૈસાની લેવડ દેવડ માટે બે બારી રાખવા માંગણી આવી છે.

(12:43 pm IST)