News of Tuesday, 5th January 2021
જગન્નાથ પુરીથી ચાલીને દ્વારકા આવેલ સાધુ સંતોનો સંઘ
દ્વારકાઃ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. જેમાં જગન્નાથ પુરીથી ચાલીને આવેલ અંદાજિત ૨૭ જેટલા સાધુ સંતોને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ જયોતિર્લીંગ, ગોપી તળાવ, અને રૂકમણી માતાજી મંદિર પદયાત્રી ઓને બસ દ્વારા પ્રવાસ યાત્રા કરાવેલ હતી તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો ઉપસ્થિત રહી સંતો ના આશીર્વાદ મેળવેલ હતા.
(11:27 am IST)