દામનગરના દાતા પ્રાણજીવનભાઇ બોસમિયાનું મુંબઇમાં દેહાવસાન
દામનગર તા.પ : દામનગરના હાલ મુંબઈ ને કર્મભૂમિ બનાવનાર વતન પ્રેમી ઉદારદિલ દાતા ઘર હો તો એસા રશ્મિ બિલ્ડર્સ પરિવાર ના મોભી પ્રાણજીવનભાઈ જગજીવનભાઈ બોસમિયા નું મુંબઈ ખાતે તા૩૦/૧૨ રોજ દેહાંવસાન થયું છે. દામનગરમાં સામાન્ય કેબીન માં ઇલેકિટ્રશન નો ધંધો શરૂ કરી દામનગર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા માં જીવનભર મદદરૂપ બની પોતા ની કુશળતા નો સંસ્થા નો અવિરત લાભ આપનાર સ્વ પ્રાણજીવનભાઈ બોસમિયા સામાજિક શેક્ષણિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓમાં રચનાત્મક ધ્યાનાકર્ષક બાંધકામ લાઈટ ડેકોરેશન સહિત અનેક વિધ જીવનભર સેવારત બનતા રહ્યા છે દામનગર શહેર ની અનેકો સંસ્થા ઓમાં શેક્ષણિક ધાર્મિક સાહિત્ય સંસ્થા માં સખાવતો કરી આર્થિક મદદ રૂપ બની ઘર હો તો એસા થી ખૂબ ખ્યાતનામ ઘર બનાવતી બ્રાન્ડ રશ્મિ બિલ્ડર્સ અને રશ્મિ એજયુકેશન સંસ્થા ના દીપકભાઈ બોસમિયા,યોગેશભાઈ બોસમિયા,મહેશભાઈ બોસમિયા, હેમેન્દ્રભાઈ બોસમિયા ના પિતા ના દેહાંવસાન થી અગ્રણીઓ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટી જીવનભાઈ હકાણી દામનગર નાગરિક શરાફી મંડળી ના હરજીભાઈ નારોલા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નટુભાઈ ભાતિયા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના ભરતભાઇ ભટ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા અન્નસૂયા ટ્રસ્ટ ના જીતુભાઇ બલર વેજનાથ મહાદેવ મંદિર સેવક વજુભાઇ સિદ્ઘપુરા અનુભાઈ ચુડાસમા કુંભનાથ મહાદેવ સેવક સમુદાય જીવદયા પરિવાર ટ્રસ્ટ ડાયમંડ એશો સહિત સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓ દ્વારા સ્વ પ્રાણજીવનભાઈ બોસમિયા ને શ્રધાંજલિ અર્પી સદગત ના પરિવાર ને સાંત્વના પાઠવી હતી.