ગોંડલના ગરાસીયા પરિવારનાં ૩ વ્યકિતના અકસ્માતમાં મોત પ્રકરણમાં ટ્રક ડાઇવર વિરૂધ્ધ ગુન્હો
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૫: ગોંડલના ડેરા શેરી માં રહેતા ક્ષત્રિય પરિવાર સુરેન્દ્રનગરના ખેરાળી ગામેં ખરેખરાના કામે જઈ રહ્યો હોય બે દિવસ પહેલા બિલીયાળા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ક્ષત્રિય પરિવારની ત્રણ મહિલાઓ બળીને ભડથું થઈ ગયેલ હોય બનાવમાં ટ્રકચાલક વિરૂદ્ઘ ગુનો નોંધી ધરપકડ કરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડેરા શેરી હવેલીની સામે રહેતા મહેશસિંહ કિશોરસિંહ રાયજાદા કુમાર વર્ષ-૫૧ પત્ની મુકુંદબા ઉર્ફે મીરાબા, માતા રસિકબા તથા મામી રેખાબા સાથે ગત તારીખ ૨ ના પરોઢિયા પોતાની i10 ગાડી gj૦૩ કેપી ૫૩૦ ને લઇ સુરેન્દ્રનગરના ખેરાડી ગામે ખરખરા ના કામે જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે બિલિયાળા ગામના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક gj 1u 67 11 ના ચાલકે સાઈડ કે સિગ્નલ આપ્યા વગર રોડ ક્રોસ કરતા અકસ્માતો સર્જાવા પામ્યો હતો જેમાં ઉપરોકત ત્રણેય મહિલાઓના સળગી જવાથી કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને મહેશ સિંહ પણ ગંભીર રીતે દાઝી જવા સાથે ઘાયલ થયા હોય પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક અમરેલી નાં વિજય રતીભાઇ ડાભી સામે ipc કલમ ૨૭૯ ૩૩૭ ૩૦૪ એ વી એકટ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ ગુનો નોંધી તેને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.