દુધાળા ગામે બેરા પરિવાર દ્વારા વોટર કૂલર
જૂનાગઢ : માળીયા હાટીના તાલુકાના દુધાળા ગીર ગામના પુર્વ સરપંચ ગોરધનભાઈ બેરાના પુત્રવધૂ જયાબેન બેરા દ્વારા તેમના સ્વર્ગસ્થ દિયર મનસુખભાઈ બેરા અને સ્વર્ગસ્થ પુત્ર નિલેશભાઈ બેરાના સ્મરણાર્થે સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ દુધાળામા વિદ્યાર્થીઓને વોટર કૂલર ભેટ આપેલ જયાબેન બેરા ના હસ્તે રિબન કાપી સંસ્થાને અર્પણ કરવામાં આવેલ આ તકે જયાબેન બેરા ની સાથે ભુપતભાઈ બેરા અને વજુભાઈ બેરા તેમજ ભરતભાઈ બેરા સહિત બેરા પરિવાર ની સાથે પટેલ સમાજના અગ્રણી અંબાવીભાઈ અને અન્ય આગેવાનો ખાસ હાજર રહેલ આ કાર્યક્રમમા સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ દુધાળા સંસ્થાના પ્રમુખ જયશ્રીબેન રાઠોડ ટ્રસ્ટીઓ ગીરીશભાઈ રાવલ અને ભેનીબેન તેમજ દેવાભાઈ રાઠોડ દ્વારા વોટર કૂલરના દાતાશ્રીઓને મુમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. સંચાલન સંસ્થાના ટ્રસ્ટી અને ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ગીરીશભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલ જેમાં ગીરીશભાઈ રાવલ દ્વારા વોટર કૂલરના દાતાશ્રી બેરા પરિવારનો સંસ્થા વતી આભાર વ્યકત કરેલ અને આ કાર્યક્રમને દેવાભાઇ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવેલ.