સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે પટેલ દપંતિએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ મોત ને વ્હાલુ કરી લેતા સમગ્ર પંથકમા ચકચાર: યુવા દંપતીના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ કે કશુ મળ્યું નથી મોતનુ કારણ અકબંધ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ:::: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરાગામે  પ્લોટ વિસ્તારમા રહેતા બળદેવભાઇ હિરજીભાઇ અને તેમની પત્ની હેમાબેન એ ધરમા કોઈ કારણોસર ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમા અરેરાટી ફેલાઇ ગયેલ હતી બનાવ ની જાણ પોલીસ મથકે થતા પોલીસ ધટના સ્થળે પહોચી જઇ લાશનો કબ્જો લઇ મૂળી પી એમ માટે ખસડેલ હતી

જાણવા મળતી વિગત મુજબ સરાગામે ખેતીવાડી સાથે ઇકો ગાડી ભાડા પેટે આપી ગુજરાન ચલાવતા બળદેવભાઇ હિરજી

ભાઇ વરમોરા ઉ-40 ના લગ્ન પાચેક વર્ષ પહેલા હેમાબેન સાથે થયેલ હતા તેમને કોઇ સંતાન નહતુ બન્ને પ્લોટ વિસ્તારમા આવેલ મકાન મા રહેતા હતા  બળદેવભાઇ નુ કામ હોવાથી તેમના મોટાભાઇ શાંતિ

લાલ વરમોરા બળદેવના ધરે ગયેલ બારણુ ખખડાવવા છતા બારણા નો દરવાજો લાંબા સમય સુધી નહિ ખોલતા તેમને મોબાઇલ ફોન કરેલ પરંતુ મોબાઇલ ફોન પણ નહિ ઉપાડતા આજુબાજુ વાળાને પુછતા ધરે જ હતા વારંવાર બારણુ નહિ ખુલતા વંડી ટપીને અંદર જોતા બળદેવ ભાઇ અને તેની પત્ની ગળેફાસો ખાધેલ હાલત મા જોતા શાંતિભાઇ એ કારમી ચીસ નાખતા આજુબાજુ રહેતા લોકો એકઠા થયેલ ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લીધાના સમાચાર સમગ્ર ગામમા વાયુવેગે પ્રસરતા અરેરાટી ફેલાઇ ગયેલ હતી ધટનાની જાણ મૂળી પોલીસ મથકે થતા પી એસ આઇ ડી.જે.ઝાલા સરા ઓ.પી ના પો.હે.કો રોહિતભાઇ રાઠોડ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ લાશનો કબ્જો લઇ પી એમ માટે મૂળી લઇ જવાયા હતા મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલાએ જણાવ્યા મુજબ પટેલ દંપતિએ ગળેફાસો ખાઇ આત્મહત્યા કરેલ તેમની પાસેથી કોઇ સુસાઇટ નોટ કે કશુ મલ્યુ નથી વધુ તપાસ પોલીસ કરી રહી છે સજોડે ગળેફાસો ખાઇ જીંદગી નો અંત આણી લેતા નિ:સંતાન  દપંતિ ના પરિવારજનોમાં ગમગીની છવાઈ છે

(9:03 pm IST)