સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા ટ્રેકટર ચલાવીને કલેકટર કચેરીએ પહોંચ્યા

પોરબંદરઃ ભાજપના ખેડૂત વિરોધી કાયદા સામે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરીને સુદામા ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેકટર કચેરીએ કોંગ્રેસ આગેવાનો આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા જાતે ટ્રેકટર ચલાવીને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તસ્વીરોમાં ટ્રેકટર ચલાવતા અર્જુનભાઈ મોઢવાડિયા તથા રેલીમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો નજર પડે છે (તસ્વીર-અહેવાલઃ પરેશ પારેખ-પોરબંદર)

(2:31 pm IST)