રાજકોટ સ્થિત સાસરીયાએ છુટાછેડા માટે દબાણ કરતા મોરબીની પરિણતાએ ફિનાઇલ પી લીધું
પતિ સમીર કાતીયાર અને સાસરીયા તારો બાપ ભિખારી છે, તેમ કહી ત્રાસ આપી છુટાછેડા માટે ઝઘડા કરતા : પોલીસ ફરીયાદ
મોરબી,તા.૪: મોરબીના કાલિકા પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતાને રાજકોટ સ્થિત સાસરીયાઓએ કરિયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી છુટા છેડા આપી દેવા દબાણ કરી ઝધડો કરતા પરિણીતાયે કંટાળી જતા ફીનાઈલ પી જતા મોરબી સારવારમાં ખસેડવામાં આવીછે. આ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના કાલિકા પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા અને હાલ રાજકોટ ભગવતી પરામાં રહેતા મરજીનાબેન સમીરભાઈ કાતીયારને આરોપી પતિ સમીરભાઈ ખમીસભાઈ કાતીયાર, સાસુ રોશનબેન ખમીસાભાઈ કાતીયાર, જેઠ શીરાજભાઈ ખમીસાભાઈ કાતીયાર, જેઠાણી રૂકશાનાબેન શીરાજભાઈ કાતીયાર અને દિયર અમિતભાઈ ખમીસાભાઈ કાતીયાર રહે-બધા રાજકોટ વાળાએ ફરિયાદી મરજીનાબેનને કહેલ કે આનો બાપ ભિખારી છે અને કરિયાવરમાં હલકી અને ઓછી વસ્તુ આપેલ છે તેમ મેણા-ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી છુટા છેડા દેવા દબાણ કરી નાની નાની બાબતોમાં ઝધડાઓ કરી ગાળો આપી અવારનાવર માર કૂટ કરતા ફરિયાદી મરજીનાબેનએ કંટાળી જઈ પોતાના દ્યરે પોતાની મેળે ફિનાઈલ પી લેતા મોરબી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જે મામલે મરજીનાબેનએ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.