સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th December 2017

પોરબંદરના કોંગ્રેસ કાર્યાલયમાં રાત્રે તોડફોડ

ભાજપ હાર ભાળી ગયાનો કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપઃ પોલીસ દોડી ગઈઃ બેનરો, ઝંડી તોડી નાખ્‍યાં

 પોરબંદર, તા. ૪ :. અહીં છાંયા-ઈન્‍દીરાનગર વિસ્‍તારમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયમા રાત્રે કોઈ અજાણ્‍યા શખ્‍સો દ્વારા તોડફોડ કરી ગયાની જાણ થતા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ છે અને તપાસ શરૂ કરી છે.  કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાએ પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે ઘટના સ્‍થળે આજે સવારે જઈને નિરીક્ષણ કર્યુ હતું. આગેવાનોએ જણાવેલ કે ભાજપ ચૂંટણીમા હાર ભાળી જતા આવા કૃત્‍ય કરી રહી છે.

 

(12:35 pm IST)