કચ્છના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુક્સાનીના પાક વીમાના પૈસા ચૂકવો- કોંગ્રેસે કર્યા દેખાવો
ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસે કચ્છના ખેડુતો ને થયેલા ગયા વર્ષ તથા આ વર્ષના પાક વીમાનું વળતર, કચ્છ જીલ્લામા થયેલા અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન નું વળતર, તેમજ લખપત તાલુકામા તીડ દ્વારા થયેલા પાકના નુકસાનનું વળતર આપવા દેખાવો યોજીને માંગણી કરી છે. બેનરો, સૂત્રોચ્ચાર સાથે કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કલેકટર નાગરાજનને તથા સાસંદ વિનોદ ચાવડાને કચ્છ ને આવેદનપત્ર આપીને ખેડૂતોની સમસ્યા ઉકેલવાની માંગ કરી હતી. દેખાવો અને વિરોધ કાર્યક્રમમાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, આગેવાનો કિશોરસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, દિપક ડાંગર, નરેશ મહેશ્વરી, જુમા નોડે, પી.સી. ગઢવી, પ્રવક્તા ગની કુંભાર, સલમાબેન ગંઢ, રઝાક ચકી, કાર્યાલય મંત્રી ધીરજ રૂપાણી સહિત કચ્છ કોંગ્રેસના અન્ય કાર્યકરો જોડાયા હતા.