જેતપુરમાં દેરડીધાર આવાસમાં પુત્રના ગળે છરી રાખીને પરણિતા પર ભરવાડ શખ્શે દુષ્કર્મ ગુજાર્યું
જેતપુરના દેરડીધાર આવાસમાં રહેતી એક પરણીતા પર તેના પુત્રના ગળા પર છરી રાખી એક ભરવાડ શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
જેતપુર તાલુકાના દેરડીધાર આવાસમાં રહેતા એક પરણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં વોરાકોટડા રોડ વિજયનગર મફ્તિયાપરામાં રહેતા સુગના અરવિંદભાઈ દેવીપુજક, ચેતના ડાભી અને સંદીપ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફ્રિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે સુગના અને ચેતનાએ વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 12 હજાર, સોનાના બે જોડી બુટીયા તેમજ 5 ઓમકાર સાચવવા લીધા હતા. જે પરત માંગતા મારી રોકડ તેમજ દાગીના ના આપી છેતરપિંડી કરી હતી.તેમજ સંદિપ ભરવાડ નામના શખ્સે અનિતાબેન ના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું પોલીસે પરણીતાની ફ્રિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી