સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છની મુલાકાતે

ભુજ તા. ૪ : મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે ભુજ ખાતે કાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેનાર છે. રાજયપાલશ્રી સવારે ૧૧-૪પ વાગ્યે ભુજ આવીને બપોરે ૧ર કલાકથી ૧-૩૦ કલાક સુધી મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાનારા કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેનાર છે યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ માંડવી ખાતેના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ''ક્રાંતિ તીર્થ''ની બપોરે૩ કલાકે મુલાકાત લેશે.

(4:03 pm IST)