News of Friday, 4th October 2019
ગારીયાધાર ખૂન કેસનો ૯ વર્ષથી ફરારી ઝડપાયો
ભાવનગર, તા. ૪ :. ભાવનગર એલસીબી પોલીસે ગારીયાધાર ખૂન કેસના ફરારી આરોપીને ઝડપી લીધો છે. આ આરોપી નવ વર્ષથી ફરાર હતો.
ભાવનગર એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે વરતેજ નજીક રંગોળી હોટલ નજીકથી વિનુભાઈ પરસોતમભાઈ ચૌહાણ (રહે. નાની વાવડી-ગારીયાધાર) વાળાને ઝડપી લીધો હતો. ઝડપાયેલ આ શખ્સ ગારીયાધારમાં નવ વર્ષ પહેલા થયેલ ખૂન કેસના ગુન્હામાં ફરાર હતો. આ શખ્સની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી.માં ઈન્ચાર્જ પીઆઈ એન.એન. બારોટ, પીએસઆઈ એન.જી. જાડેજા તથા સ્ટાફ જોડાયો હતો.
(12:07 pm IST)