ગોંડલના યુવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી
ગોંડલ : ભારતના પનોતાપુત્ર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ની ગૌરવ થી ઉજવણી કરી રહેલ છે. ત્યારે સમગ્ર વિશ્વે જેમને સદીના મહાનાયક તરીકે સર્વસ્વીકૃત કર્યા છે.તેવા મહાત્મા ગાંધીજી ની ૧૫૦જ્રાક જન્મ જયંતિ ની ઉજવણી ગોંડલ ના યુવાનો દ્વારા આજે સવારે કોલેજચોક ખાતે મહાત્મા ગાંધીજી નું જીવન ચરિત્ર ની પુસ્તિકા અને તેમના વિશે વિસ્તૃત માહિતી ના હેન્ડબીલ નું વિતરણ કરવમાં આવ્યું..વર્તમાન પેઢીને ગાંધીજી વિશે સાચી અને સચોટ માહિતી પ્રાપ્ત થાય તે માટે આજે આ પુસ્તકો નું વિતરણ કરવામાં આવ્યું..આ કાર્ય માં પ્રકૃતીપ્રેમી હિતેશભાઈ દવે,રજનીશ રાજપરા,અંકિત તલાવીયા,પ્રેમલ પંડ્યા,સંકેત જેઠવા,શૈલેષ માણેકભાઈ,આકાશ વગેરે એ ઉત્સાહ સાથે રાષ્ટ્રપિતા ના જન્મ દિવસ ની ઇજવણી કરી પોતાની સદ્દભાવના વ્યકત કરી હતી.(તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી,ગોંડલ)(૪૫.૬)(તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી,ગોંડલ)