સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

૧૬૮ ગુણી ધાણા ખરીદી પત્રાપસર ગામનાં શખ્સનો પાંચ લાખનો ધૂંધો

જુનાગઢ તાલુકા પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ

જુનાગઢ તા. ૪ :.. ૧૬૮ ગુણી ધાણા ખરીદી બાદમાં પત્રાપસરના શખ્સે રૂ. પાંચ લાખનો ધુંબો લગાવી દીધો હોવાની જુનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે.

જુનાગઢમાં રહેતા હમીરભાઇ નાથાભાઇ રામના ભાગીદાર ભાદાભાઇ બાંટવા (રે. તલીયાધર) ને પત્રાપસર ગામના વલ્લભ જીવરાજભાઇ સાવલીયા નામનાં શખ્સે વિશ્વાસમાં લઇ બાદમાં ભાણાભાઇની  નાંદરખી ગામે આવેલ ખેતીની જમીનમાંથી ઉત્પાદન થયેલ રૂ. પ.૦૪ લાખની કિંમતના ૧૬૮ ગુણી ધાણાની બાકીમાં ખરીદી કરેલ. પરંતુ વલ્લભ સાવલીયાએ ધાણાનાં પૈસા નહિ ચુકવતા ગઇકાલે હમીરભાઇ સામે ફરીયાદ કરતા જુનાગઢ તાલુકા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:34 am IST)