News of Friday, 4th September 2020
વરાપ યથાવતઃ માળીયા હાટીના-કેશોદ પંથકમાં અડધાથી દોઢ ઇંચઃ જામજોધપુરમાં ઝાપટા
રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વરાપ યથાવત છે અને ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત છે.
જુનાગઢ જિલ્લામાં કાલે બે તાલુકામાં વરસાદ પડયો હતો, દિવસભર સખ્ત તાપ પડયા બાદ કેશોદ અને માળીયા-હાટીનાં પંથકમાં બપોરે વરસાદ વરસ્યો હતો, કેસોમાં અડધો ઇંચ અને માળીયા પંથકમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : છેલ્લા ર૪ કલાક દરમિયાન જામજોધપુરમાં વરસાદી ઝાપટા રૂપે ૧ મી. મી. વરસાદ પડયો હતો.
(11:45 am IST)