સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th August 2020

વાંકાનેરમાં માલગાડી હડફેટે ૮ ગાયના મોત : ૩ ગાયો ઇજાગ્રસ્ત

વાંકાનેર, તા. ૪ :  વાંકાનેર નેશનલ હાઇવે, રેલ્વે બ્રીજ ઉપર આશરે એક સાથે ૧૧ જેટલી ગાયોનું ઘણ રેલ્વે પાટા ઉપર રાત્રે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે ગૂડઝ ટ્રેનની હડફેટે ચડતા ૮ જેટલી ગાયોના ટુકડા થઇ ગયા હતા જયારે ત્રણ જેટલી ગાયો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ ગંભીર ઘટના બાદ મોરબી જિલ્લાના નવા વરાયેલા એસ.પી. તથા ડીવાયએસપી એલસીબી અને વાંકાનેર પીઆઇ તથા રેલ્વે પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હોત. આ ઘટના સમયે વાંકાનેર લક્ષ્મીપરાના મુસ્લિમ યુવાનો સહિત ગૌરક્ષકો, જીવદયા કર્મીઓ બચાવ કામગીરીમાં ખડેપગે જોવા મળ્યા હતા.

(2:47 pm IST)