News of Monday, 4th July 2022
જોમજોધપુર અનુસુચીત જાતિ સમાજ દ્વારા ચિફ ઓફિસરને આવેદનપત્ર
જોમજોધપુર : વોર્ડ-નં-૭માં ભૂર્ગભ ગટરની સુવિધા ન હોવાથી ઠેર-ઠેર ગટરો છલકાય છે તેમજ ગંદકી ફેલાતી છે. આખા શહેરમાં ભૂર્ગભ ગટરની સુવિધા ઉભી થઇ ગઈ છે જેથી ભીમવાસમાં આ સુવિધા ઉભી કરવો તથા વોર્ડ નં.૭માં ભીમવાસમાં છેલ્લા છ મહીના થયા પાણી ઓછું આવતું હોવાની અનેક રજૂઆત છતાં પ્રશ્નોનો નિકાલ નહી આવતા અનુસુચીત જાતિ સમાજ દ્વારા ચીફ ઓફીસરને આવેદનપત્ર અપાયું હતું.
(11:56 am IST)