જામજોધપુર પાલિકાની સામાન્ય સભા સતાધારી જૂથના સભ્યો ગેરહાજર રહેતા મોકુફ
જામજોધપુર તા.૪: નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન થયેલ હતુ. આ સામાન્ય સભામાં વિરોધપક્ષ કોંગ્રેસના તમામ ૮ સદસ્યો નિયત સમયે હાજર રહેલ હતા. પરંતુ, સતાધારી પક્ષ ભાજપના પ્રમુખ સહિતના એક પણ સદસ્ય હાજર ન હોય નિયમોનુસાર ચિફ ઓફિસર દ્વારા ૧૦:૩૦ થી ૧૧ વાગ્યા સુધી સતાધારી પક્ષ ભાજપના સદર્સ્યાની રાહ જોઇ હતી અને સમય મુજબ ભાજપના સદસ્યો ન આવતા સામાન્ય સભા રદ કરવામાં આવેલ હતી.
જામજોધપુર શહેરના ઇતિહાસમાં પહેલીવાર સતાધારી જુથના તમામ સદસ્યો સભાના નિયત સમય કરતા મોડા આવતા સામાન્ય સભા રદ કરવામાં આવી હોય એવો બનાવ પ્રથમવાર બનેલ છે.
ભાજપમાં સતાધારી જુથ પેનલમાં આંતરિક વિવાદ પણ ચરમ સીમાએ હોય અને જુદી-જુદી સમીતીની રચના કરવાની હોય જેમને લઇ આ આંતરિક કલહ વર્ધ્યા હોય ભાજપના તમામ સદસ્યોનું સભામાં મોડા આપવાનું આ પણ કારણ હોઇ શકે એવુ રાજકીય પંડિતોમાં ચર્ચાય રહ્યુ છે.