સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th June 2019

ડે.કલે પંકજસિંહ જાડેજાના સ્‍મરણાર્થે જામજોધપુરના ધ્રાફામાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્‍પમાં રપ૦ દર્દીઓએ લાભ લીધો

જામજોધપુર તા.૪ : ડે.કલે. પંકજસિંહ જાડેજા પરિવારના સ્‍મરણાર્થે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્‍પમાં બસોપચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં બહોળી સંખ્‍યામાં મહિલા દર્દી તેમજ વૃધ્‍ધ દર્દીઓ સામેલ હતા. નિદાન કેમ્‍પ શ્રી પંકજસિંહ જાડેજા મેમોરીયલ ગૃપ તેમજ રાજકોટ નારાયણી હોસ્‍પિટલના સંયુકત ઉપક્રમે યોજાયેલ. આ કેમ્‍પમાં નારાયણી હોસ્‍પિટલના સુપ્રસિધ્‍ધ ડોકટર્સની  ટીમ જેમાં ડો.ચૈતન્‍યસિંહ ગોહિલ, ડો.કુંતલબા જાડેજા, ડો.ભાર્ગવ પંડયા, ડો.સિધ્‍ધાર્થસિંહ જાડેજા, ડો.જિનિસાબા સોઢા, ડો.વિધિ વઘાણી, ડો.ઓમદેવસિંહ ગોહિલ, ડો.અલ્‍પા સોલંકી, ડો.પ્રતાપ ડોડીયા, ડો.દર્શના માકડીયા વગેરે હાજર રહી દરેક દર્દીઓની શાંતીપુર્વક તપાસ કરી નિદાન કરી આપવામાં આવેલ છે.

આ પ્રસંગે કોટડા બાવીસી માતાજી મંદિરના મહંત શ્રી ખાસ ઉપસ્‍થિત રહી પંકજસિંહ જાડેજા જેવા કર્મનિષ્‍ઠ આત્‍માની યાદ તાજી કરી દરેકને આશિર્વચન આપેલ. આ પ્રસંગે જામજોધપુર તાલુકાના પુર્વ ધારાસભ્‍ય બ્રિજરાજસિંહ જાડેજા, સરપંચશ્રી રાજભા જાડેજા, ક્રિપાલસિંહ (અતુલભાઇ), દાનુભાબાપુ, જનકસિંહ જાડેજા વગેરે ગામ આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા સાથે પંકજસિંહ જાડેજા પરિવારમાંથી પધારેલ ઘનશ્‍યામસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજાનું બહુમાન પણ ગ્રામજનોએ કરેલ. કાર્યક્રમનું સંચાલન અતુલભાઇ ચગે કરેલ આભારવિધિ જે.બી.જાડેજાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમ ભૂપતસિંહ જાડેજાના નેજા હેઠળ ધ્રાફાના યુવાનો વડીલોએ જહેમત ઉઠાવી સફળ બનાવેલ.

 

 

 

(12:20 pm IST)